પાટણ પછી વધુ એક જિલ્લાના શહેરે લીધો લોકડાઉનનો મોટો નિર્ણય,બપોર 3 વાગ્યાથી…

પોસ્ટ કેવી લાગી?

Lock down

  • વૈશ્વિક મહામારી કોરોના (Corona) કહેર વચ્ચે ગુજરાતના પાટણ શહેરમાં આજથી 1 વાગ્યા સુધી જ બજારો ખુલવાની જાહેરાત કરાઈ છે.
  • કોરોના (Corona) સંક્રમણ વધતા પાટણ નગરપાલિકાએ બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન (Lock down) નો એક મોટો નિર્ણય લીધો છે.
  • તો પાટણમાં બપોરે 1 વાગ્યા પછી તમામ બજારો બંધ રહેશે.
  • 31 જુલાઈ સુધી પાટણમાં ધંધા-રોજગારનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે.
  • તેમજ નિયમ ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરાશે.
  • પાટણ બાદ હવે ગઢડામા કોરોના (Corona)ના પોઝીટીવ કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે
  • ત્યારે કોરોનાનુ સંક્રમણને અટકાવવા ગઢડા વેપારી એસોસિએશન દ્વારા 31 જુલાઈ સુધી સ્વૈચ્છિક લોકડાઉન (Lock down) નો એક મોટો નિર્ણય લીધો છે.
  • રોજ બપોરના 3 કલાકથી નાના મોટા ધંધા રોજગાર, લારી ગલ્લા સહિતના વેપારો બંધ રાખવાનો નિર્ણય કરાતા આજે ગઢડા સજજડ બંધ રહ્યુ હતું.
  • તેમજ બોટાદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે.
  • બોટાદ શહેરમા તેમજ જિલ્લાના ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકામાં પણ દરરોજ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
  • જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 193 કેસો પોઝીટીવ નોધાયા છે
  • જયારે 111 લોકો સારા થઈ ગયા છે જેમા આજદિન સુધીમાં જિલ્લામાં કુલ 7 કોરોનાના દર્દીઓના મોત થયા છે
  • તો હાલમા કુલ 75 પોઝીટીવ કેસો છે. તેઓ સાળગપુર તેમજ ભાવનગરની હોસ્પિટલમા સારવાર હેઠળ છે.
  • આમ સમગ્ર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે જયારે જિલ્લાના ગઢડા શહેરમા પણ કોરોના (Corona) ના પોઝીટીવ કેસો નોંધાયા છે.
  • તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પણ કોરોનાનુ સંક્રમણ વધી રહી છે તે ચિંતાજનક છે, ત્યારે ગઢડાના વેપારી એસોસીએશને એક બેઠક યોજી હતી.
  • જેમા રોજ બપોરના 3 કલાકથી તમામ નાના મોટા વેપાર ધંધા રોજગાર બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
  • જેના ભાગરૂપે આજે ગઢડા બપોરના 3 કલાકથી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન (Lock down) રાખ્યું છે.
  • અત્રે નોંધનીય છે કે, બુધવારથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલશે.
  • 31 જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
  • કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો હતો.
  • અત્યાર સુધી પાટણ શહેરમાં 240 કેસ નોંધાયા છે.
  • પાટણ નગર પાલિકા ખાતે કોરોના (Corona) ને લઈ અગત્યની મિટિંગ મળી હતી.
  • પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ બેઠક મળી હતી.
  • બેઠકમાં પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
  • જેમા આવતી કાલ એટલે તારીખ 22-7 થી 31-7 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures