- અમદાવાદમાં કોરોના વાયરસના કહેર બાદ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું જેથી શહેર ને જોડાતા બધા બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા.
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.
- આ બેઠકમાં બધા બ્રિજ ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં આજે શહેરના 5 બ્રિજ હાજી પણ બંધ જોવા મળ્યા છે.
- સવારે 7 વાગે બ્રિજ ખોલી નાંખવાની જાહેરાત કરાઈ હતી, તેમ છતાં શહેરના ઈન્દિરા બ્રિજ, ગાંધીબ્રિજ, આંબેડકર બ્રિજ, સરદાર બ્રિજ, દધીચી બ્રિજ બંધ દેખાયા હતા.
આ પણ જુઓ : રેસિપી : નારિયળ બરફી.
- ત્યારબાદ લોકોએ જાતે બેરીકેડ હટાવી અવર જવર શરૂ કરી દીધી હતી.
- અમદાવાદમાં લોકડાઉન-4 દરમ્યાન માત્ર બે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા.
- પરંતુ હવે અનલોક 1 નાં પહેલાં તબક્કામાં સરકારે મોટો નિર્ણય કર્યો જેથી અમદાવાદનાં તમામ બ્રિજ ખોલી નાંખવાનો નિર્ણય લેવાયો હતો.
- માત્ર બે બ્રિજ ચાલુ હોવાને કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News