હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ જાહેર કરાઈ છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે એક ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. આ વચ્ચે હવે માત્ર ધોનીની મંજુરીની રાહ છે. બોર્ડ આગામી આઈપીએલ દરમિયાન ધોની સાથે વાત કરશે અને પછી તેના અનુસાર આગળનો કાર્યક્રમ નક્કી કરશે.
બીસીસીઆઈ (BCCI)ના અધિકારીએ જણાવ્યું કે, આઈપીએલ દરમિયાન તેમને વાત કરીશું અને મેચ કે સીરિઝ વિશે તેમનો મત લેવા માટે તે યોગ્ય જગ્યા હશે. પરંતુ તેમના માટે એક ઉચિત સમ્માન સમારોહ થશે પછી ભલે તે તેની સાથે સહમત હોય કે ના હોય. તેમને સમ્માનિત કરવા અમારા માટે સમ્માનની વાત હશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.