Arunachal Pradesh
2 સપ્ટેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશ (arunachal pradesh)થી ગુમ થયેલા 5 યુવકોને ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીએ ભારતને સોંપ્યા છે. પહેલા ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે તે ભારતીય સેનાના જાસૂસ છે. પરંતુ ભારતીય સેનાના સતત દબાણ બાદ PLA તેમને સોંપવા સંમત થયું છે.
સેનાની તેજપુર છાવણીના પ્રવક્તાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે પાંચ યુવકોને શનિવાર સવારે 9.30 વાગ્યે અરૂણાચલના દમાઇમાં ભારતીય સેનાને સોંપવામાં આવશે.
આ પણ જુઓ : કંગનાના ડ્રગ કનેક્શનને લઇ મુંબઈ પોલીસ શરૂ કરશે તપાસ
આ પહેલા શુક્રવારે કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કરી કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશના પાંચ યુવકોને ચીન શનિવારે ભારત સરકારને સોંપી રહ્યું છે. આ પાંચ યુવક ભૂલથી ચીનની સીમામાં પ્રવેશી ગયા હતા. પાંચે યુવક 2 સપ્ટેમ્બરથી ગુમ હતા. બાદમાં જાણવા મળ્યું કે, તે ભૂલથી ચીનની સીમામાં પ્રવેશી ગયા છે. ત્યારબાદ ભારતીય સેનાએ હોટલાઇન દ્વારા ચીનની સેનાથી તેમને પરત કરવાની અપીલ કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.