- અત્યારે કોરોના એ અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વધતાં જતાં કોરોના વાયરસના કિસ્સાઓને પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે.
- આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે ,31 માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
- જો કે બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહીં પરંતુ મોલ અને સ્વિમિંગ પુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
- ગુજરાતના આરોગ્ય કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે તારીખ 16 માર્ચથી 31 માર્ચ સુધી તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. આંગણવાડી પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ શાળા અને કોલેજની આંતરિક પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે.
- જો કે શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો પણ આદેશ સરકારે કર્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
- આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ માટે 104 હેલ્પલાઈન કાર્યરત છે. અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મુખ્ય સવિચ અને આરોગ્ય કમિશનર વચ્ચે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News