- હાલના સમયે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસનો કહેર સમગ્ર જગ્યાએ જોવા મળી રહ્યો છે. કોરોનાથી પોતાના નાગરિકોને બચાવવા માટે દુનિયાની તમામ સરકારો શક્ય તેટલા તમામ પ્રયાસ કરી રહી છે.
- આ દરમિયાન એક બ્રિટિશ સંશોધનનો અહેવાલ સામે આવતા અમેરિકા અને બ્રિટનની સરકારમાં સોપો પડી ગયો છે.
- આ રિસર્ચ ઈંપીરિયલ કોલેજ લંડનમાં પ્રોફેસર નીલ ફર્ગુસને ઈટાલીના કોરોનાના આંકડાના આધારે કર્યું છે.
- આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આવનાર સમયમાં કોરોના વાયરસના કારણે અમેરિકામાં 22 લાખ અને બ્રિટનમાં 5 લાખ લોકોના મોત થઈ શકે છે.
- બ્રિટિશ રિસર્ચ અહેવાલ સામે આવ્યા બાદ બ્રિટનના વડાપ્રધાન જોનસને કોરોના સામે વધારે કડક પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે.
- વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોના વાયરસની અસર ઓછી ના થાય ત્યાં સુધી લોકો ભીડવાળી જગ્યામાં ના જાય.
- આ રિસર્ચ સામે આવ્ય્યા બાદ બ્રિટિસ સરકારે આકરા પગલા ભરવાનું શરૂ કરી દીધા છે.
- અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાથી 107 લોકોના મોત થયા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News