- દિલ્હીના ન્યૂ અશોક નગરમાં ઑનર કિલિંગ નો એક મામલો સામે આવ્યો છે. જેમાં 25 વર્ષીય યુવતીની ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી છે. આ કેસમાં પરિવારના છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
- પોલીસના જણાવ્યા મુજબ યુવતીને છેલ્લા ત્રણ વર્ષથી પાડોશમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બાદમાં બંનેએ ઘરમાં કોઈને કહ્યા વગર ઓક્ટોબર, 2019માં આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. છોકરીને ખૂબ સમજાવી છતાં તે લગ્ન તોડવા માટે તૈયાર થઈ ન હતી. જે બાદમાં પરિવારના લોકોએ તેની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હતી.
- જે બાદમાં 30મી જાન્યુઆરીના રોજ હત્યા કરી નાખી હતી.જ્યારે પતિએ તેની પત્નીને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો. આથી પતિને કંઈક થયાની શંકા પડી હતી. બાદમાં તેણે ન્યૂ અશોક નગર પોલીસ મથકમાં તેની પત્ની ગુમ થવાની ફરિયાદ આપી હતી.
- પોલીસે જ્યારે શીતલના પરિવારની પૂછપરછ કરી ત્યારે તેમણે એવું કહીને વાત ટાળી દીધી કે શીતલ કોઈ સંબંધીના ઘરે ગઈ છે. જ્યારે પોલીસને શંકા પડી ત્યારે તેમણે પરિવારની કૉલ ડિટેઇલ તપાસી હતી. કૉલ ડિટેઇલમાં અમુક નંબર પર 30મી જાન્યુઆરીના રોજ ઘણી વાતો થઈ હતી. જે જે નંબરો પર યુવતીના માતાપિતાની વધારે વાતો થઈ હતી તે લોકોની પૂછપરછ કરતા તેઓ પોલીસની વાતને ટાળી રહ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News