Central Government
કેન્દ્ર સરકાર (Central Government) ખેતીવાડી અને પાકની લણણી બાબતના પોતાના ત્રણ આદેશો મંજૂર કરાવવાની યોજના ઘડી રહી હતી. આ ત્રણ આદેશથી ખેડૂતો રોષે ભરાયા હતાભીષણ આંદોલનની ધમકી પણ ઉચ્ચારી હતી.
નવા આદેશ મુજબ હવે વેપારીઓ બજારની બહારથી પણ ખેડૂતોના પાકને ખરીદી શકશે, અગાઉ માત્ર મંડીમાંથી પાક ખરીદી શકતા હતા. કેન્દ્ર સરકારે બટેટા, કાંદા, અનાજ, દાળ, ખાદ્ય તેલ વગેરેને જીવન આવશ્યક ચીજોની યાદીમાંથી મુ્ક્ત કરી દેતાં એનો સ્ટોક કરવાની શક્યતા ખતમ થઇ જતી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારે કોન્ટ્રેક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની નીતિની દિશામાં કામ શરૂ કર્યું હતું. આ બધી બાબતોથી ખેડૂતો નારાજ થયા હતા.
આ પણ જુઓ : Sonu Sood એ બાળકની બ્રેઇન ટયુમર સર્જરીમાં આર્થિક મદદ કરી
કેન્દ્ર સરકારે પાક ખરીદવા અંગે ઘડેલા ત્રણ આદેશો પોતાને અન્યાયકર્તા હોવાનું ખેડૂતો માને છે. ખેડૂતો માનતા હતા કે બજારમાંથી પાક ખરીદવાની નીતિથી ખેડૂતોને લઘુતમ કિંમત મળી જતી હતી. ખેડૂતોએ ધમકીના સૂરે કહ્યું હતું કે આ આદેશ રદ કરવામાં નહીં આવે તો અમે ભીષણ આંદોલન કરીશું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.