- અત્યારે ભાગ્યે જ કોઈ એવું હશે જેને વાળની સમસ્યા ના હોય.અમુક સમસ્યાઓ દવાથી પણ દૂર નથી થતી.
- ઘરગથ્થુ ઉપાયથી આ સમસ્યાઓ દૂર કરી શકાય છે. જાણો કેટલાક ઘરગથ્થુ ઉપાયો.
- કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં મિક્સ કરી હળવા હાથે વાળમાં માલિશ કરવાથી વાળ ખરતાં અટકાવી શકાય છે.
- આમળાનું તેલ વાળનાં મૂળમાં લગાવાથી વાળ મજબૂત બને છેઅને ગ્રોથ પણ થાય છે.
- કોપરાનું દૂધ વાળનાં મૂળમાં લગાડી ધીરે ધીરે મસાજ કરવાથી વાળને પોષણ મળે છે અને હેલ્ધી બનશે.
- તેલથી માથામાં આંગળીના ટેરવાથી મસાજ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધશે જેનાથી વાળ ખરતાં અટકશે.
- રાતે નિયમિત 1 ચમચી ત્રિફળાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાળને લગતી સમસ્યાઓ દૂર થશે. વાળ ખરતા બંદ થાય છે અને 15-20 દિવસમાં અસર દેખાશે.
- આમળાના ચૂર્ણને લોખંડના વાસણમાં પાણીમાં પલાડી માથામાં લગાડવાથી વાળ સફેદ થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે.
- આમળા વાળને ખુબજ ફાયદાકારક છે શિયાળામાં રોજ 3 થી 4 આમળા ખાવાથી વાળને લગતી સમસ્યાઓ ઓછી થાય છે.
- આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી માથામાં તેનો લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.
- હૂંફાળુ તેલની માલિશ કરવાથી વૅલ ને પોષણ મળે છે અને વાળ લાંબા અને ચમકદાર બને છે.
- વાળમાં તેલ નથી ગરમ ટોવેલ બાંધવાથી વૅલ મુલાયમ થાય છે.
- તેલ નાખ્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું અને શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.દહીં વાળમાં સ્પાનું કામ કરે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News