- કોરોના વાયરસ ગુજરાતમાં ફેલાય નહીં માટે આગામી 20થી 25 દિવસ સુધી મોલ-મલ્ટિપ્લેક્સ જેવા સ્થળ કે જ્યાં વધુ લોકો એકત્ર થતા હોય તેને તદ્દન બંધ રાખવા જોઇએ તેવી કોંગ્રેસે કરેલી માગને ગુજરાત સરકારે ફગાવી દીધી છે.
- નીતિન પટેલે જણાવ્યું હતું કે, જેના કારણે આ તબક્કે આપણે ખોટો ભય રાખવાની જરૂર નથી. કોરોના ફેલાય નહીં તેના માટે અમે તમામ જરૂરી પગલા લઇ રહ્યા છીએ.
- આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમદાવાદ-સુરત એરપોર્ટ પર આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવા માટે 8 તબીબી અધિકારી, 21 પેરા મેડિકલ સ્ટાફ સહિતની 8 મેડિકલ ટીમ તથા એમ્બ્યુલન્સ 108 તૈયાર રખાઇ છે. અત્યારસુધી રાજ્યમાં કુલ 2231 મુસાફરો કોરોનાગ્રસ્ત દેશમાંથી આવ્યા છે અને તેમાંથી 1207 પ્રવાસીઓએ 28 દિવસનો ઓબ્ઝર્વેશન પીરિયડ પૂર્ણ કર્યો છે , તે તમામ મુસાફરોનું સ્વાસ્થ્ય સારૂં છે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News