bus
મહીસાગર જિલ્લામાં મોડી સાત્રે એક ખાનગી બસ (bus) ને અકસ્માત નડ્યો છે. સંતરામ પુરના પઢારિયા ગામે ખાનગી બસ પલટી જતા 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતનો ભોગ બની છે તે બસ (bus) સુરત આરટીઓ ખાતે નોંધાયેલી છે. રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ બસ પલટી ગઈ હતી. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે બસ બેથી ત્રણ પલટી મારી ગઈ હતી.
બસ (bus) સંતરામપુરથી કાલાવડ ખાતે શ્રમિકોને મૂકવા માટે જઈ રહી હોવાનું માલુમ પડ્યું છે. આ દરમિયાન સંતરામપુર નજીક પઠારીયા ગામ ખાતે બસ પલટી ગઈ હતી. બસ પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને 4 જેટલી 108ની મદદ લઇ જુદા જુદા સ્થળોએ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.