Rahul Gandhi
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ચીનના મુદ્દે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
રવિવારે એક ટ્વિટમાં રાહુલ ગાંધી ((Rahul Gandhi))એ કહ્યું કે ‘દરેક લોકો ભારતીય સૈન્યની ક્ષમતા અને બહાદુરીમાં વિશ્વાસ કરે છે. વડા પ્રધાન સિવાય’. ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાનની ‘કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની છૂટ આપી છે’. રાહુલ ગાંધીએ એમ પણ લખ્યું છે કે વડાપ્રધાનના ‘જુઠ્ઠાણા એ ખાતરી કરશે કે જમીન તેમની (ચીન) પાસે જ રહે.’
Everybody believes in the capability and valour of the Indian army.
Except the PM:
Whose cowardice allowed China to take our land.
Whose lies will ensure they keep it.— Rahul Gandhi (@RahulGandhi) August 16, 2020
આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા
રાહુલે ગાંધીએ શુક્રવારે પણ એક ટ્વિટમાં કહ્યું હતું કે ‘ભારત સરકાર લદાખમાં ચીનના ઇરાદાઓનો સામનો કરવાથી ડરી રહી છે. જમીની હકીકત એ સંકેત આપી રહ્યા છે કે ચીન તૈયારી કરી રહ્યું છે અને મોરચો સાંધે છે. વડાપ્રધાનના વ્યક્તિગત સાહસનો અભાવ અને મીડિયાના મૌનની ભારતને બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. “
આ પણ જુઓ : Atal Bihari Vajpayee ની પુણ્યતિથી પર PM એ આપી શ્રદ્ધાંજલિ
भारत सरकार लद्दाख़ में चीनी इरादों का सामना करने से डर रही है।
ज़मीनी हक़ीक़त संकेत दे रही है कि चीन तैयारी कर रहा है और मोर्चा साधे है।
प्रधानमंत्री के व्यक्तिगत साहस की कमी और मीडिया की चुप्पी की भारत को बहुत भारी क़ीमत चुकानी होगी।— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2020