- રાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે.
- જીલ્લામા 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું.
- જેને આધારે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા.
- સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌભાંડ આચરનારા 21 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
- ગુજરાતમાં એક જ પરિવારનાં નામે 250થી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
- જેને આધારે તપાસનાં આદેશ સરકારે આપ્યા હતા.
- જે કમિટી દ્વારા 21 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- તે કમિટી દ્વારા કૌભાંડ આચરનારા ઓપરેટરો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવશે. જો કે હાલ જીલ્લા આરોગ્ય વિભાગે સાયબર સેલની મદદથી કેટલા કાર્ડ કાઢવામાં આવ્યા અને કોની એચએચઆઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- તે સહિતનાં મુદ્દાની તપાસ હાથ ધરવામાં આવી છે.
- રાજકોટ જીલ્લા આરોગ્ય અધીકારીએ જણાવતા કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેન્દ્ર સરકારે યાદી મોકલી હોય.
- તેમને જ આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. પરંતુ સોફ્ટવેરમાં રહેલી ક્ષતીનો દુર ઉપયોગ કરીને ઓપરેટરોએ જેમનું લીસ્ટમાં નામ નથી તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપ્યા હોવાનુ સામે આવ્યું છે.
- ઓપરેટરોને એચએચઆઇડી આપવામાં આવ્યું હોય છે. જેમાં લોગ ઇન કરીને જેના પરીવારનું નામ યાદીમાં છે તેને જ કાર્ડ કાઢવાનાં હોય છે.
- પરંતુ ઓપરેટરો સોફ્ટવેરની ખામીનો દુરઉપયોગ કરીને ભળતી અટક વાળા પરીવારનાં આઇડીમાં અન્ય લોકોને એડ કરીને ગેરકાયદેસર કાર્ડ કાઢી આપતા હોવાનું સામે આવ્યું હતું.
- આવા 9 હજાર કરતા વધુ કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
- હાલ તો 9 હજાર જેટલા નકલી કાર્ડ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
- સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે ફરીથી કાર્ડ કાઢી આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News