Shamlaji
- શામળાજી (Shamlaji) મંદિરને લઈને સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે.
- યાત્રાધામ શામળાજી (Shamlaji) મંદિર શ્રદ્ધાળુઓને જન્માષ્ટમીના દિવસે દર્શન માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- પરંતુ કોરોનાની સરકારી ગાઈડલાઈન પ્રમાણે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
- તેમજ રાત્રે શ્રીકૃષ્ણના જન્મ સમયે અને આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં મળે.
- જો કે, કોરોનાને પગલે આ વખતે સાદગીપૂર્ણ રીતે ભગવાનના જન્મની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- મળતી માહિતી પ્રમાણે, ચાલુ વર્ષે ભગવાન શામળિયા (Shamlaji) નું મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે.
- મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ શામળાજી (Shamlaji) માં ભગવાન શામળિયાનો જન્મોત્સવ સાદગી પૂર્ણ રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
- જો કે, જન્માષ્ટમીના દિવસે ભકતોને દર્શન માટે સરકારી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવાનું નક્કી કરાયું છે.
- તમામ ભક્તોમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
- દરેક ભક્તોનું સ્ક્રીનીંગ કરી સેનેટાઇઝ કરી માસ્ક સહિત સોસિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપાશે.
- દર વર્ષે ભગવાન શામળિયાના જન્મોત્સવ નિમિત્તે કાઢવામાં આવતી શોભાયાત્રા મટકીફોડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.
- આ ઉપરાંત ભગવાનના જન્મ સમયે પણ ફક્ત સેવક ગણ અને મંદિરના પૂજારી સિવાય કોઈને પણ પ્રવેશ નથી.
- એ જ રીતે આરતી સમયે કોઈ પણ ભક્તોને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
- ભગવાનનો પ્રસાદ તેમજ ભંડારો પણ બંધ રાખવામાં આવ્યો છે.
- આ રીતે જન્માષ્ટમીના દિવસે યાત્રાધામ શામળાજી (Shamlaji) માં ભગવાનનો જન્મોત્સવ એકદમ સાદગી પૂર્ણ રીતે ઉજવાનું ટ્રસ્ટ મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.