Uttarakhand
ઉત્તરાખંડ (Uttarakhand) ના બદાયુંમાં 3 જાન્યુઆરીએ એક મહિલા પર ગેંગરેપ કર્યા બાદ એના ગુપ્તાંગમાં સળિયો નાખી એને મારપીટ કરીને મારી નાખવાની એક ઘટના સામે આવી છે.
ઘટનાની વિગત એવી છે કે ઉઘૈતી ગામની એક મહિલા 3 જાન્યુઆરી રવિવારે રોજની જેમ મંદિરે ગઇ હતી. મંદિરના મહંત ઉપરાંત એના ચેલાએ આ મહિલા પર રેપ કર્યો હતો. ત્યારબાદ વધુ એક વ્યક્તિએ પણ મહિલા પર રેપ કર્યો હતો. ત્યારબાદ એને મારપીટ કરી મહિલાને મારી નાખવામાં આવી હતી. ત્યારબાદ મહંત અને એનો ચેલો બોલેરો કારમાં મહિલાના મૃતદેહને એના ઘર પાસે ફેંકી ગયા હતા.
આ પણ જુઓ : સિદ્ધપુરમાં ખેતરની ઓરડીમાંથી 18 વર્ષીય યુવાનની ફાંસો ખાધેલી લાશ મળી
મહિલાના કુટુંબીજનોની ફરિયાદ પરથી પોલીસે મંદિરના મહંત અને એના ચેલાની ધરપકડ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયા મુજબ આ મહિલાની ડાબી પાંસળી, ડાબું ફેફસું અને ડાબા પગમાં અતિ ભારે વજનદાર વસ્તુથી પ્રહાર કરવામાં આવ્યા હતા. આ મહિલા વધુ પડતા રક્તસ્ત્રાવથી મરણ પામી હતી.
આ પણ જુઓ : સ્વર્ણિક સંકુલમાં 8 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા
મહિલાના કુટુંબીજનોએ ઉઘૈતી પોલીસ સ્ટેશનમાં મહંત અને એના ચેલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારી રાવેન્દ્ર પ્રતાપ સિંઘે ફરિયાદ તરફ કોઇ ધ્યાન આપ્યું નહોતું. વરિષ્ઠ અધિકારીએ રાવેન્દ્ર પ્રતાપ સિંઘને સસ્પેન્ડ કર્યા હતા.