રાધનપુરના સરદારપુરા અને સિનાડ ગામ વચ્ચે બાઈક ચાલકને બ્રેઝા ગાડી એ ટક્કર મારતા 2 નાં મોત

વારાહી શ્રી ભીડ ભજન હનુમાનજી ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા બે યુવકો ના મોત

અકસ્માતની મળતી હકીકત મુજબ બુધવારના રોજ વારાહી ભીડ ભંજન હનુમાનજી ગૌ શાળામાં સેવા આપતા પંચાલ બાબુભાઈ રામજીભાઈ અને સાધુ રાધેશ્યામ જમનાદાસ કોઈ કામ માટે બાઈક નં જીજે 24-એએલ 8790 પર રાધનપુરના સરદારપુરા સિનાડ માગૅ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલાં ગાડી નં.જીજે.12.ડીએ.5283ના ચાલકે ધડાકાભેર બાઈક સાથે પોતાની કાર અથડાવતાં બાઈક સવાર બન્ને સેવાભાવી વ્યક્તિ રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને નાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

બંને યુવકોને રાધનપુર હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવેલા

રાધનપુર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાધનપુર અને વારાહી ગૌશાળા ના ગૌ ભક્તો ઘટના સ્થળે પહોંચ્યા

પોલીસે ધટના સ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત બન્ને વાહનો રોડ પરથી દૂર કરી મૃતકોની લાશનું પંચનામુ કરી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024