- ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે.
- વરસાદના કારણે કન્ટેનર ટ્રક અને સ્કોર્પિયોમાં જોરદાર ટક્કર થઈ.
- આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે.
- મૃતકોમાં 4 યુવક, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે.
- આ દુર્ઘટનામાં સ્કોર્પિયો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

- પ્રારંભિક તપાસમાં ડ્રાઇવરને ઝોકું આવી ગયું હોવાની વાત સામે આવી છે.
- એક તરફ વરસાદ અને વહેલી પરોઢના કારણે ડ્રાઇવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
- તમામ લોકો રાજસ્થાનથી માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને બિહારના ભોજપુર પરત ફરી રહ્યા હતા.
- ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત એટલો ભીષણ હતો કે સ્કોર્પિયોનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી.

- આ પણ વાંચો: 8 જૂનથી અનલોક 1.0 માટેની ગાઇડલાઇન જારી.
- કેરલના CM વિજયનએ હાથણીના મોતની ઘટના પર જાણો શું કહ્યું.
- તમામ મૃતક બિહારના ભોજપુર જઈ રહ્યા હતા.
- આ તમામ લોકો રાજસ્થાનમાં માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને પાછા જઈ રહ્યા હતા.
- પોલીસે તમામ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
- મુખ્યમંત્રીએ યોગીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
- મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક સાર વાર મળે તેના નિર્દેશ આપ્યા છે.
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં થયેલા અકસ્માતમાં લોકોના મૃત્યુ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News