ઘરની બહાર ન જશો. સોશ્યલ ડિસ્ટેન્સિંગની લક્ષ્મણ રેખા ન તોડો. કોરોનાની ચેઈન તોડવા આ જ રામબાણ ઈલાજ છે.
કોરોના સંકટને હરાવવા માટે પ્રકાશના તેજને ચોતરફ ફેલાવવાનું છે. કોઈ જ એકલુ નથી. વિશ્વમાં એવું કંઈ જ નથી કે જે આપણે શક્તિથી હાંસલ ન કરી શકીએ.
દેશભરમાં આશરે 2,500 સંક્રમિતો છે.
કોરોનાને લઈ મોદી સતત તમામ રાજ્યોના સંપર્કમાં છે.
ગુરુવારે તેમણે મુખ્યમંત્રીઓ સાથે બીજી વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના સામે જાગૃત્તિ અભિયાનમાં ધર્મગુરુઓની મદદ લેવામાં આવવી જોઈએ.
મોદી આ મહામારીના જોખમ વચ્ચે 3 વખત રાષ્ટ્રને સંબોધિત કરી ચુક્યા છે. 19 માર્ચના રોજ પ્રથમ વખત દેશને સંબોધિત કરતા 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લગાવવા તથા કોરોના ફાઈટર્સના સન્માનમાં તાળી-થાળી વગાડવા કહ્યું હતું.
24 માર્ચના રોજ બીજી વખત દેશમાં 21 દિવસના લોકડાઉનની વાત કરી હતી.
આ લોકડાઉન 14 એપ્રિલના રોજ પૂરું થશે. કોરોના વાઈરસના સંક્રમણની અસરને લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 60થી વધારે છે.