Accident
પાટણના દુધારામપુરા ગામ પાસે અકસ્માત (Accident) સર્જાયો હતો. કાર અને છકડા વચ્ચેના અકસ્માતમાં ધાયણોજના છકડા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ અંગે મૃતકના પિતાએ કાર ચાલક સામે પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કાંકરેજના જામપુરા ગામના વતની છેલ્લા દસ વર્ષથી ધાયણોજ ગામે રહેતા ચતુરભાઈ રાયચંદભાઈ દેવીપુજક છકડો લઈ તેમના વતનથી ધાયણોજ ગામે આવી રહ્યા હતા. દરમ્યાન રવિવારે રાત્રે દુધારામપુરા ગામ નજીક ગાડી (નં.જીજે 38 બીએ 2890) અને છકડો (જીજે 02 વાયવાય 0424) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. છકડા ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત થયું હતું.
આ પણ જુઓ : કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું નિવેદન
જયારે કાર ચાલાક કાર મુકીને નાસી છૂટયો હતો. મૃતકના પિતાએ આ અંગે કાર ચાલકની સામે પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.