બનાસકાંઠા ના ભીલડી ગામના વતની અને છેલ્લા પ૦ વર્ષ થી મુંબઇ માં સ્થાઇ થયેલા રંગમંચ થી કેરીયર ની શરુઆત કરી ગુજરાતી ફિલ્મો માં સ્થાન જમાવતાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે અસંખ્ય ફિલ્મો કરી છે જેમા માનવી ની ભવાઇ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો.
મહીયર ની ચુંદડી તેમની શ્રેષ્ઠ ફિલ્મ રહી છે રામાયણ માં નિષાદ રાજ ની ભુમિકાએ તેમને સમગ્ર દેશ માં ખ્યાતી અપાવી છે આ ઉપરાંત તેમને હિન્દી સિરીયલો અને આઠ જેટલી હિન્દી ફિલ્મો પણ કરેલી છે ફિલ્મ ઇંડસ્ટ્રીઝ તેમને બાબલા ભાઇ કહીને બોલાવે છે અરવિંદ ત્રિવેદી તેમના જીગરજાન મિત્ર હતા તેમના અવસાન થી વ્યથીત થઇ ગયા હતા ટુંકી બીમારી બાદ મોડી રાત્રે તેમનુ અવસાન થયુ હતું
સવારે ૯ કલાકે મુંબઇ ના મરીનલાઇન્સ ચંદન વાડી ખાતે તેમના પુત્ર મનીષ પંડ્યા ના હાથે તેમના અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ગુજરાતી તેમજ હિંદી ફિલ્મો ના અનેક અભિનેતાએ ફોન કરી સાંત્વના પાઠવી હતી. મરાઠી ફિલ્મના સુપરસ્ટાર રાજેશ શ્રુંગાર પુરે ની વિષેશ હાજરી આપી હતી.