પાટણ : નગરપાલિકાના માથે કોરોડો રૂપિયાનું વીજ લેહણું છતા વિજળીનો દુર ઉપયોગ – જુઓ વિડિઓ.

પાટણ : PATAN

પાટણ નગરપાલિકાના માથે કોરોડો રૂપિયાનું વીજ લેહણું બાકી બોલી રહયું છે. ત્યારે એક બાજું નગરપાલિકા વીજ બીલ ભરવા સક્ષમ નથી.

બીજીબાજું પાલિકાના કર્મીઓ દવારાજ વીજળીનો દુરઉપયોગ કરાતા વીજ બીલમાં વધારો થઈ રહયો છે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય ?

પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખામાં છ વાગ્યા પછી પી.ટી.એન. ન્યુઝ દવારા મુલાકાત લેવામાં આવતા ત્યા ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

સ્વચ્છતા શાખામાં કોઈપણ કર્મચારી ના હોવા છતાં લાઈટો અને પંખા બેફામ ચાલુ જોવા મળ્યા હતા. ત્યારે એક બાજુ સરકાર વીજળી બચાવો અભિયાન ચલાવી રહી છે ત્યારે બીજી બાજું સરકારી કચેરીઓમાંજ તેનો દુરઉપયોગ જોવા મળી રહયો છે. તે કેટલે અંશે વ્યાજબી કહેવાય?

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ : આટલા લાખના બીલો બાકી – કોન્ટ્રાકટરે પાલિકાને નાણાં ચુકવવા આપી….

પાટણ : PATAN

પાટણની ભૂગર્ભ ગટર લાઈનો, પંપીગ સ્ટેશનો અને માખણીયા ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલન રીપેરીંગ, સારસંભાળ, મેઈન્ટેનન્સ વગેરેની કામગીરીનો કોન્ટ્રાકટ સંભાળતી એજન્સીને આ બંન્ને કામગીરીના બીલોની રૂા. ૬ર.૪ર લાખની ચુકવણી નગરપાલિકાએ નથી કરી.

એજન્સીએ પાલિકાના ચીફ ઓફીસરને આ નાણું ૧૦ ઓકટોમ્બર સુધીમાં નહીં કરવામાં આવે તો આ બંન્ને મહત્વની આરોગ્ય ઉપર અસર કરી શકે તેવી સેવાઓના સંચાલન અને મરામત નું કામકાજ ૧૧ મી ઓકટોબર ર૦ર૦ થી ઠપપ કરી દેવાની ચીમકી આપી છે.

આ કામગીરી ઠપ થતાં શહેરમાં ગટરો ઉભરાતા આરોગ્ય સામે જોખમ ઉભું થશે તેની જવાબદારી પાટણ નગરપાલિકાની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તો આ નોટીસ અંગે એજન્સીએ પાટણના કલેકટર, પ્રાંત, મામલતદાર, રીઝનલ કમિશ્નર ગાંધીનગર મ્યુન્સીપલ કમિશ્નર અને પાટણ ના આરોગ્ય ખાતાને પણ જાણ કરી છે.

આ અંગે માઈક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજી નામની એજન્સીના નરેશ પટેલને ટેલીફોનીક પુછતાં તેઓએ પાલિકાએ પૈસાનું ચુકવણું ન કરાતા બે મહીનામાં ૩ નોટીસો સમયાંતરે પાઠવી હોવા છતાં, ચુકવણું એજન્સીને કરવામાં આવ્યું નથી. અને ૯૦ લાખની સરકાર માંથી ગ્રાંટ આવી હોવા છતાં પણ પાલિકા દવારા ચુકવણું એજન્સીને કરવામાં આવ્યું નથી. ગ્રાંટ પણ એજન્સી દવારા કઢાઈને આપવામાં આવી હોવા છતાં ચુકવણું ના થતાં પેમેન્ટો કરવામાં મુશ્કેલી થતી હોવાથી ૧૧ મી તારીખથી ભૂગર્ભ અને એસ.ટી.પી.ના તમામ કામકાજ બંધ કરી દેવાની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

જયારે ખાલકપુરા માં છેલ્લા ર માસથી ગટરો ઉભરાતી હોવાનું જણાવી ભૂગર્ભની કામગીરી સામે સવાલ ઉઠાવતા તેઓએ રોજે રોજ કામગીરી થતી હોવાનું જણાવ્યું હતું. તો ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરે આપેલ ચીમકીના પગલે સાંડેસરા પાટીના પ્રમુખ જયેશ પટેલે પોતાની તીખી પ્રતિકિ્રયામાં નગરપાલિકાનું નાક દબાવવાનો પ્રયત્ન રાજકીય ઈશારે કોન્ટ્રાકટર દવારા કરવામાં આવ્યો હોવાનું જણાવી, હપ્તાની માયાજાળમાં આ પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષોપો કરી પાલિકાના ચીફ ઓફીસરને કોન્ટ્રાકટરનું બીલ ધમકી આપ્યા બાદ રોકી રાખવા અપીલ પણ કરી હતી.

તો બાંધકામ સમિતિના ચેરમેન અને જાગૃત કૉર્પોરેટર ડો.નરેશ દવેએ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરે પાલિકાને આપેલ ધમકીને અયોગ્ય ગણાવી હતી. અને આ એજન્સીની છેલ્લા પાંચ મહીનાથી કામગીરી અયોગ્ય હોવાનું જણાવી, ઠેર ઠેર ભૂગર્ભ ગટરના પ્રશ્નો યથાવત જોવા મળી રહયા છે. અને કોન્ટ્રાકટરને ચેક ન મળવા બાબતે નગરપાલિકા ની કોન્ટ્રાકટની શરતોમાં પાલિકાની આર્થિક સધ્ધરતાને આધીન કોન્ટ્રાકટરનું બીલ ચુકવણું કરવામાં આવતું હોય છે.

વધુમાં તેમને જણાવ્યું કે બહારથી આવેલ કોન્ટ્રાકટરો જો આ રીતે પાટણની વસ્તીને બાનમાં લેવા માંગતા હોય તે ગેરવ્યાજબી ગણાવી, ચીફ ઓફીસરનું સંકલન કરી યોગ્ય રીતે પૈસાની માંગણી કરવી જોઈએ. અને આગામી સામાન્ય સભામાં ડો.નરેશ દવે દવારા પાટણની ઘોર ખોદનાર આવા કોન્ટ્રાકટર સામે ઉગ્ર અને આક્રમક રજુઆત કરવાનું પણ જણાવ્યું હતું. તો નગરપાલિકાનું રાજકીય ઈશારે નાક દબાવવાના પ્રયત્નો થવાની પણ ડો.નરેશ દવેએ શકયતાઓ વ્યકત કરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ : આ સરકારી જગ્યા પર કરાયેલ દબાણ હટાવાયા.

પાટણ – PATAN

પાટણ શહેરના રેલ્વે ગરનાળાની બહાર આવેલ ઉપેન્દ્ર વકીલની ચાલીમાંથી માલીકીની જગ્યામાંથી સ્થાનીક લોકો અવર જવર કરતા હતાં.

ત્યારે આ માલીકીના ૧૪૬ ના ફાઈનલ પ્લોટમાં જમીન માલીક દવારા કોમ્પલેક્ષા ઉભું કરવામાં આવતાં અને આજુ બાજુ અસામાજીક તત્વોના ત્રાસ ને નાથવા તેઓ દવારા પોતાની માલીકીનો અવર જવરનો રસ્તો બંધ કરી દેતાં, સ્થાનીક લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી.

ત્યારે હર્ષદ ઠકકર દવારા આ અંગેની સરકારમાં રજુઆત કરતા, ચીફ ઓફીસરને છાપરા વાળાના કાયદેસરનો રસ્તો ખુલ્લો કરવા આદેશ કરાયા હતા. ત્યારે તુલસી હોટલ વાળાએ વર્ષોથી સરકારી જમીનમાં દબાણ કરી કોટ બનાવી દીધો હતો.

જેને આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફીસરના હુકમથી એસ.આઈ. અને પોલીસની સુરક્ષા વચ્ચે દબાણ કરાયેલ કોટને દુર કરવામાં આવ્યો હતો. ત્યારે હર્ષદ ઠકકરે પોતાની જમીન માલીકી ની જગ્યામાં સરકારી જમીનમાં થયેલ દબાણને ખુલ્લુ કરવામાં આવતા, અસામાજીક તત્વો નો ત્રાસ ઓછો થવાનું જણાવી પાલિકાના ચીફ ઓફીસર અને પોલીસની કામગીરીને બીરદાવી હતી.

તો સ્થાનીક મહીલાએ છાપરાઓમાં થતા દુષણોને લઈ કંઈક આ રીતે પોતાનો બળાપો વ્યકત કર્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ : ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે – જાણો શા માટે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન કરાયું સીલ.

પાટણ – PATAN

પાટણ શહેર ઐતિહાસીક નગરીની સાથે ડોકટરી નગરી તરીકે પણ ઓળખાય છે. ત્યારે પાટણ શહેરમાં રાજસ્થાન સહીત કચ્છ અને બનાસકાંઠાના દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે.

બનાસકાંઠાના દિયોદર ગામના એક બહેનને પેટમાં દુ:ખાવો થતાં તેઓ પુછતાં પુછતાં કોહિનુર સિનેમા પાસે આવી પહોચ્યાં હતા. ત્યા તેઓને સામાજીક કાર્યકર ગોપાળ ભરવાડ સાથે ભેટાળો થયો હતો.

તેઓને એક ખ્યાતનામ ગાયનેકનું નામ પુંછતા તેઓએ પોતાના મિત્રને તેઓની સાથે મોકલ્યા હતા. ત્યારે આ ખ્યાતનામ ગાયનેકની એક મહીલા કર્મીએ પેટમાં દુ:ખાવો થતો હોય તો, તેની સારવાર માટે આવતી કાલે આવવાનું જણાવ્યું હતું.

ત્યારે આ મહીલા કર્મીની કામગીરી અંગે સામાજીક કાર્યકર ગોપાળ ભરવાડને શંકા જતાં બીજા દિવસે તેઓ દર્દીની પાછળ પાછળ ગાડી લઈને ગયા હતા. ત્યારે આ મહીલા કર્મી દર્દીને વડનગરની ભાવના હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી.

ત્યારે તેઓ પણ ત્યાં આવી પહોંચતાં ડોકટર અને સામાજીક કાર્યકર વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાજીક કાર્યકરે આ અંગેની જાણ આરોગ્ય અધિકારીને કરતાં, આરોગ્ય અધિકારી દવારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહેસાણા જીલ્લાના વડનગર શહેરમાં આવેલી ભાવના હોસ્પિટલ અને સોનોગ્રાફી કલિનીક ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ની ટીમ પહોંચી હતી. જેમાં બનાસકાંઠા જીલ્લા ના એક દર્દીના રેકોર્ડિંગ સંદર્ભે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં ડોકટર પ્રદિપ ઓઝાની ભાવના હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન લગતનું રેકોર્ડ નિભાવવામાં નિષ્ફળ હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું હતું.

રેકર્ડ નિભાવવા સહીતની અનેક જોગવાઈઓના ભંગ બદલ મશીન આરોગ્ય ની ટીમ દવારા શિલ કરવામાં આવ્યું હતું. આ સાથે નોટીસ આધારે ખુલાસો પુછવાની ગતીવીધી પણ શરુ કરવામાં આવી છે.

આમ વડાપ્રધાનના વતન વડનગરમાં સોનોગ્રાફી મશીન ને લગતી ખાનગી ભાવના હોસ્પિટલમાં મોટી કાર્યવાહી થતાં આરોગ્ય આલમમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તો આ કેશને લઈ પાટણ ના અનાવાડાના મુખ્ય સાહેદ ગોપાળ ભરવાડનું નિવેદન લેવા મહેસાણાના જીલ્લા આરોગ્ય અધિકારી ટી.કે.સોની પાટણ ખાતે આવી તેઓનું નિવેદન લીધું હતું. ત્યારે આરોગ્ય અધિકારી ટી.કે.સોનીએ ભાવના હોસ્પિટલની સોનોગ્રાફીનું મશીન શિલ કરી સાહેદોના નિવેદનો લઈ આગળની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ : કરોડોની જમીન પાંજરાપોળમાં કરી દાન. જાણો કોણ છે દાન આપનાર…

પાટણ – PATAN

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના જેસંગભાઈ ચૌધરીએ રર વર્ષ પૂર્વે હારીજ તાલુકાના જમણપુર ગામે આવેલી પાટણ પાંજરાપોળની ખેતીની જમીન વેચાણથી રાખી હતી.

આશરે ૧૧ર વિઘા કરોડોની કિંમતની જમીન તેઓએ ગતરોજ સ્વૈચ્છીક ભાવનાથી પાંજરાપોળને પરત કરી હતી. અને સાથે સાથે રૂા.૧૧ હજારનું રોકડ દાન પણ પાંજરાપોળને ઘાસચારા માટે આપવામાં આવ્યું હતું.

જેને પગલે પાંજરાપોળના સંચાલકોએ જેસંગભાઈ ચૌધરીનું શાલ અને શ્રીફળ થી સન્માન કરાયું હતું. જેસંગભાઈ ચૌધરી મહેસાણા દુધસાગર ડેરીના નિવૃત કર્મચારીએ હારીજ તાલુકાના જમણપુર ગામે આવેલી અને પાટણ પાંજરાપોળની ખેતીની આશરે ૧૬૦ વિઘા જમીન વિસનગર તાલુકાના દેણપ ગામના ભગવાનભાઈ રેવાભાઈ પટેલ પાસેથી ૧૯૯૮ માં અંદાજે રૂા. ૧૭ લાખમાં ખરીદી હતી.

જેમાં ચાણસ્મા ના બ્રાહમણવાડા ગામના પ્રેમજીભાઈ ફતાભાઈ ચૌધરી રપ પૈસાના ભાગીદાર હતા. ત્યારે ગુરુવારે જેસંગભાઈ ચૌધરીએ તેમના ભાગની આશરે ૧૧ર વિઘા જમીન પાટણ પાંજરાપોળને સ્વૈચ્છીક ભાવનાથી પરત કરી હતી.

જેને પગલે પાંજરાપોળના સંચાલક અને માનદ મંત્રી ધીરુભાઈ શાહ, કમલેશભાઈ શાહ, જયંતીભાઈ શાહ, જયેશ પટેલ, બળદેવભાઈ દેસાઈ સહીતનાઓએ જમીન દાન કરનાર જેસંગભાઈ ચૌધરી અને તેમની સાથે આવેલા અગ્રણી પાલોદર ગામના ખેંગારભાઈ દેસાઈ નું શાલ અને શ્રીફળથી સન્માન કરવામાં આવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ : ઝાપાની ખડકીમાં મકાનની છત ધરાશાયી.

પાટણ શહેરના હીંગળાચાચર વિસ્તારમાં આવેલ ઝાંપાની ખડકીમાં આજ રોજ બપોરના સુમારે એકાએક પહેલા અને બીજા માળની છત ધરાશયી થતાં સ્થાનીક લોકોમાં ભયના માહોલની સાથે અફડાતફડી સર્જાવા પામી હતી.

આ ધરાશયી થયેલ મકાન શુશીલાબેન મોદીનું હોવાનું જાણવા મળ્યું હતું.

બપોરના સુમારે શુશીલાબેન ઘરમાં રસોઈ બનાવી રહયા હતા. ત્યારે અચાનકજ ધાબાની છત ધડાકા ભેર ધરાશયી થતાં, તેઓ ગેસ ચાલુ રાખીનેજ ઘરની બહાર પોતાનો જીવ બચાવીને નાસી છુટયા હતા.

તેઓને અને તેઓના પાડોશીને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ વોર્ડનંબર ૩ ના સક્રિય અને વોર્ડ વિસ્તારમાં સતત લોકોની મદદ માટે ફરતા જનસંગી એવા કિશોર ભૈયા અને ગોપાળસિંહ રાજપુતને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

તો છત ધરાશયી થવાને કારણે મકાનનું મુખ્ય બારણું બંધ થઈ જવાને કારણે મકાનની બાજુમાં આવેલ બારીની લોખંડની ગ્રીલ તોડીને ફાયર ફાઈટરના કર્મચારીઓ તોડી મકાનની અંદર પ્રવેશ્યા હતા. અને ચાલુ ગેસના બાટલાને બંધ કરી તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

ત્યાર બાદ મકાનનો મુખ્ય દરવાજો પણ તોડી પાડવામાં આવ્યો હતો. તે પૂર્વે દરવાજો તોડતાં ફરીથી એકવાર તુટેલા સ્લેબનો કેટલોક ભાગ ધરાશયી થતાં ફાયર ફાઈટરના કર્મીઓએ હેલ્મેટ પહેર્યા હોવાથી તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. પરંતુ હાથના ભાગે વાગતા એક કર્મી લોહી લુહાણ થઈ જવા પામ્યો હતો.

આ અંગે સ્થાનીક રહીશોએ ઘટનાસંદર્ભે પોતાના પ્રતિભાવો વ્યકત કરી શુશીલાબેન સહીત પાડોશીને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તો વોર્ડનંબર ૩ ના સતત કાર્યશીલ અને સેવાભાવી જનસંગી કિશોર ભૈયાએ પણ ઘટના સંદર્ભે પોતાના પ્રતિભાવો વ્યકત કાર્ય હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા શહેરના જુદા જુદા ૭ વિસ્તારોમાં ઊભી રહેશે શાકભાજીની લારીઓ.

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૦ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. આ સંખ્યા વધે નહી એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે ૫ થી બપોરે ૧૨ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શાકભાજીની ખરીદી વખતે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થાય છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણનો ભય રહેલો છે.

આ સમસ્યા નિવારવા માટે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની સૂચનાથી પ્રાંત અધિકારીશ્રી પાટણ અને નગરપાલિકાની ટીમ દ્વારા પાટણ શહેરમાં અલગ અલગ ૭ જગ્યાઓ એ લોકડાઉનના સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શાકભાજી માર્કેટ માટે જગ્યાની ફાળવણી કરી છે. જયાં શહેરના શાકભાજી વેચનાર ફેરીયાઓ પોતાની લારી લઇને વેચાણ કરી શકશે. જેમાં શાકભાજી વેચનારાઓ વચ્ચે અને ગ્રાહકો વચ્ચે કોરોના સંક્રમણ અટકે તે
માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ વ્યવસ્થામાં જુદા જુદા ૭ મેદાનો પર શાકભાજી વેચવાની પ્રક્રિયા થશે અને નાગરિકો પણ પોતાના આજુબાજુના શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદી શકશે. નાગરિકોએ પોતાનું વાહન મેદાનની બહાર પાર્ક કરીને ખરીદી કરવાની રહેશે. લોકડાઉન માટેના તમામ અન્ય નિયમો અહીં લાગુ પડશે. આ માર્કેટમાં નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૨૨ કમિટી બનાવેલી છે. જે સુપરવિઝન કરશે. શહેરમાં અન્ય કોઇપણ જગ્યાએ આ સ્થળો સિવાય શાકભાજી વેચવા પર પ્રતિબંધ રહેશે.

શાકભાજી વેચાણ માટે જે વૈકલ્પિક સાત સ્થળો નક્કી કરાયા છે એમાં ખાડિયા શોપિંગ સેન્ટરની બાજુમાં અને શ્યામા પ્રસાદ મુખર્જી હોલ સામેની જગ્યા તથા પ્રગતિ મેદાનની બાજુની જગ્યા, પદ્મનાભ ચાર રસ્તા પાસે બકુલ પાર્ટી પ્લોટની બાજુની ખુલ્લી જગ્યા, એમ.એન.હાઇસ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડવાળી જગ્યા, પશુપાલન કચેરીની સામેની જગ્યા, પાટણ પાંજરાપોળની ખેતરવાળી જગ્યા, ટી.પી.સ્કીમ નં.૧ ની નગરપાલિકાની જગ્યા, હારીજ રોડ પર ખોડિયાર નગર સોસાયટી બાજુની જગ્યા છે. અહીંથી આસપાસના રહીશો સવારે પાંચ થી બપોરે બાર વાગ્યા સુધી શાકભાજીની ખરીદી કરી શકશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ખરીદી કરતી વખતે ચહેરા પર માસ્ક લગાવવો અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું ફરજિયાત છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

ઝવેરી બઝારમાં સોસીયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૦ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. આ સંખ્યા વધે નહી એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે ૫ થી બપોરે ૧૨ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શાકભાજીની ખરીદી વખતે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થાય છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણનો ભય રહેલો છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

થરાદ: માતા પુત્રીએ કેનાલમાં લગાવી મોતની છલાંગ જુઓ વિડિઓ.

થરાદની મુખ્ય કેનાલ પર દુધ શીત કેન્દ્ર પાસે મહીલા એ વીસ વર્ષ ની પુત્રી સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. તો મળતી માહીતી મુજબ ભરડવા ગામની મહીલાએ તેની પુત્રી સાથે કેનાલમાં પડી હતી. મહીલા અને પુત્રી કેનાલમાં પડતા જોઈ સ્થાનીક લોકોએ તેમને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

સ્થાનીક લોકો અને તરવૈયાઓ દવારા મહીલાને બચાવી લેવામાં આવી હતી અને પુત્રીનું કેનાલમાં મોત નિપજયું હતું. તો ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. અને તરવૈયાઓ ઘટના સ્થળે આવી પુત્રીની શોધ ખોળ હાથ ધરી હતી. તો આ મહીલાએ પોતાની પુત્રી સાથે કેનાલમાં કેમ છલાંગ લગાવી તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું. અને મહીલાને સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

પાટણ: ભારતીય જનતા પાર્ટીની વિસ્તારક યોજના ની શરુઆત

પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અન્વયે ર૧ થી ર૮ જુલાઈ દરમીયાન વિસ્તારક યોજના ની શરુઆત થયેલ છે. જે સંદર્ભે ગત રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી કે.સી.પટેલ નો વિસ્તારક કાર્યક્રમ પાટણ જીલ્લાના હારીજ તાલુકાના અડીયા ગામે તથા પાટણ શહેરના આનંદ સરોવર તથા સુભાસચોક વિસ્તારમાં સદસ્યતા નોંધણી કરવામાં આવી હતી. તો પાટણ શહેર ખાતેના કાર્યક્રમમાં કિશોર મહેશ્વરી, સુરેશ પટેલ, હેમંત તન્ના, મહેન્દ્ર પટેલ, સતીષ ઠકકર મનોજ પટેલ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures