દેશની આઝાદી ના ૭પ માં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે ત્યારે એમ.કે એજ્યુકેશન કેમ્પસ અને સબરીમાલા હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ૭પ માં સ્વાતંત્ર દીનની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે સબરીમાલા હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઈ કોરોના ને માત આપનાર ફૌઝી જસવંતસિંહ ના વરદ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
આ ધ્વજવંદન કાર્યક્રમાં મુકેશ પટેલ, વિદ્યાર્થીઓ તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.