Doctors on strike

Doctors on strike

મેડિકલ ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની તાલીમ બાદ 58 પ્રકારની સર્જરી કરી શકશે તેવી છૂટ અપાઇ છે. મેડિકલ ક્ષેત્રે લેવાયેલ આ નિર્ણયનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોેધ કરાયો છે. વિરોધને લઇ એક દિવસીય હડતાળ (Doctors on strike) નો કોલ અપાયો છે.

આ એલાનને પગલે ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોએશનને હડતાળ પાડવાનું નક્કી કર્યુ છે જેના ભાગરૂપે ગુજરાતના 28 હજાર ડોક્ટરો  શુક્રવારે એટલે કે આજે હડતાળ પાડી વિરોધ વ્યક્ત કરશે. ડોક્ટરોનું કહેવુ છેકે, આયુર્વેદ અને એલોપેથી એમ બે પ્રકારનો અભ્યાસ કરનારાં ડોક્ટરો આરોગ્ય માટે ઘાતક પુરવાર થશે.

આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો

સવાલ એ છેકે, સર્જરી દરમિયાન કોઇ ગંભીર સમસ્યા સર્જાશે તો આયુર્વેદથી ઇલાજ શકય નથી. સર્જરી દરમિયાન એનેસ્થેસિયા અને એન્ટીબાયોટીક દવાની જગ્યા આયુર્વેદ કેવી રીતે લઇ શકશે. આ સંજોગોમાં આયુર્વેદના ડોકટરોને સર્જરીની છુટ આપવી યોગ્ય નથી.

હડતાળ હેઠળ રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી, કન્સલ્ટટન્ટ, ઓપરેશન સહિતની રૂટિન કામગીરી બંધ રહેશે. કોરોના અને ઇમરજન્સી સારવાર યથાવત રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024