પુત્રના જન્મ દિવસ નિમિત્તે સાળંગપુર દર્શન કરીને બોટાદ પરત ફરતા પિતા-પુત્રનું અકસ્માત થતાં મૃત્યુ

પોસ્ટ કેવી લાગી?

સાળંગપુર અને શેથળી વચ્ચે અકસ્માત સર્જાતા બોટાદ ના દલવાડી પિતા-પુત્ર નું મોત.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના વાસણા ગામના મુળ વતની અને હાલ રણછોડનગર તુરખા રોડ, બોટાદ ખાતે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ અરજણભાઈ ખાંદળા (દલવાડી) ઉં.વ.-૩૫ આજે તેના પુત્ર વેદાંતનો જન્મદિવસ હોઈ પોતાનું સ્પ્લેન્ડર મો.સા.GJ 04 AB 9591 નંબરનું લઈને બંને પિતા-પુત્ર સાળંગપુર દર્શન કરવા ગયેલ.

દર્શન કરીને પરત આવતા હતા ત્યારે સાંજના ૬:૩૦ કલાક આસપાસ સાળંગપુર અને શૈથળી વચ્ચે અચાનક તેનું મોટરસાયકલ સિમેન્ટ ના થાંભલા સાથે અથડાતાં બંને પિતા-પુત્રને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે બંનેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.

બંનેની લાશને પી.એમ અર્થે સોનાવાલા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ છે. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures