Home ministry એ લોકડાઉન અંગે રાજ્યોને આપ્યો આ આદેશ

પોસ્ટ કેવી લાગી?

Home ministry

કોરોનાના વધતા કેસોના કારણે કેટલાંક રાજ્યોમાં હજુ લોકડાઉન છે. તથા આકરા નિયંત્રણો લદાયેલાં છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home ministry) મહત્વનો આદેશ આપીને લોકો અને માલસામાનના આંતર-રાજ્ય પરિવહન પર પ્રતિબંધો નહીં મૂકવા માટે બધા જ રાજ્યોને જણાવ્યું છે.

કેન્દ્રીય ગૃહ (Home ministry) સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને લોકો તથા માલ-સામાનના પરિવહન પર વિવિધ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સૃથાનિક સ્તરે મૂકાયેલા નિયંત્રણો દૂર કરવા નિર્દેશો આપવામાં આવ્યા છે.

અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, સ્થાથાનિક તંત્ર દ્વારા માલ-સામાનના પરિવહન પર મુકાતા નિયંત્રણોથી માલ-સામાન અને સેવાની પુરવઠા ચેઈન ખોરવાઈ રહી છે અને તેનાથી આર્થિક પ્રવૃત્તિઓ તેમજ રોજગારીને મોટો ફટકો પડી રહ્યો છે.

ઉપરાંત આ સંજોગોમાં આંતરરાજ્ય પરિવહન પર પ્રતિબંધ મૂકવો નહીં. આ ઉપરાંત અનલૉક 3ની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, પડોશી દેશો સાથે સંધિ હેઠળ સરહદ પારના વેપાર માટે માલ-સામાનના પરિવહન માટે અલગથી કોઈ મંજૂરી કે ઈ-પરમીટની જરૂર નથી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures