Bihar
બિહાર (Bihar) માં દરભંગાના હાયાઘાટ વિધાનસભા બેઠકમાં અપક્ષ ઉમેદવારને ગોળી મારવાની ઘટના બની છે. ગુરુવારે મોદી રાત્રે અપક્ષ ઉપમેદવાર રવીન્દ્રનાથ સિંઘ ઉર્ફે ચિંટુ સિંઘને અજાણ્યા સખ્સોએ ગોળી મારી હતી. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ એની સ્થિતિ ગંભીર હોવાનું કહ્યું હતું.
બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની પ્રચાર પ્રક્રિયા ગુરુવારે સાંજે પૂરી થઇ હતી. રવીન્દ્રનાથ સિંઘ પોતાની કારમાં જઇ રહ્યા હતા ત્યારે કાર રોકીને બદમાશોએ એમને બે ગોળી મારી હતી. ત્યારબાદ તેમને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં લઇ જવાયા હતા.
પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અશોક પ્રસાદે કહ્યું હતું કે ગોળી મારવાના કારણની અમને જાણ નથી. ચિંટુ સિંઘ હોશમાં આવે અને માહિતી આપે ત્યારબાદ કંઇક ખબર પડે. પોલીસ હુમલાખોરોની તપાસ કરી રહી હતી.
આ પણ જુઓ : ઓનલાઈન ક્લાસ પૂરો થયા બાદ તરત પાંચમા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
પોલીસે કહ્યું હતું કે ચિંટુ સિંઘ પોતાનો પ્રચાર પતાવીને પોતાના ગામ દુગૌલી તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે એમને કોઇનો ફોન આવ્યો હતો. ત્યારબાદ કોઠરી વિસ્તારમાં બદમાશોએ તેમની કાર રોકી હતી અને એમના પર ગોળીબાર કર્યો હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.