મહેસાણા જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જગત જનની માઁ અંબાના ધામ અંબાજી સુધી દર્શન યાત્રા યોજવામાં આવી હતી. મહેસાણાથી અંબાજી સુધી ની દર્શન યાત્રા માં મોટી સંખ્યા માં ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
તો વળી દર્શન યાત્રા માં જોડાયેલા ઠાકોર સેના ના અગ્રણી અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજને સરકાર માં યોગ્ય સ્થાન માટેની માંગણી કરતું નિવેદન પણ કરવામાં આવ્યું હતું.