મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં તેના સ્થાપના કાળથી ભગવાન હાડકેશ્વર મહાદેવનું મંદિર બિરાજમાન જોવા મળી રહયું છે. હાડકેશ્વર મહાદેવનું મંદિર ર૦૦૦ વર્ષ પ્રાચિન હોવાથી શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.
ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના ભાવિકભકતો દવારા કરવામાં આવી હતી. તો વડનગરના ભગવાન હાડકેશ્વર નાગરોના ઈષ્ટદેવ હોવાનું પણ જાણવા મળ્યું હતું.