પાટણ (PATAN) જિલ્લાના રાધનપુર નાયબ કલેકટર ડી.બી. ટાંકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાધનપુર સાતલપુર આદિવાસી સમાજ દ્વારા ખોટા આદિજાતિના પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પુદ ઉપરથી દૂર કરવા માંગણી કરવામાં આવી હતી.
રાજયકક્ષાના આદિજાતિ મંત્રીને પદ પરથી દૂર કરવા અપાયું આવેદન
આદિવાસી સમાજ દ્વારા રાધનપુર ખાતે પટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા રાધનપુર ખાતે આવેલ નાયબ કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર ડી બી ટાંક ને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શું હતી આદિજાતિની માંગણી.
આદિવાસી સમાજની માંગણી હતી કે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખોટું સર્ટી મેળવી આદિવાસી બન્યા છે ગુજરાત સરકારે તેમની આદિવાસી મંત્રી બનાવ્યા છે તેના વિરોધમાં આદિવાસી સમાજ રાધનપુર ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
આદિવાસી સર્ટીખોટું મેળવી આદિવાસી બની બેઠેલા નિમિષાબેન સુથાર ઉપ ર આદિવાસીનું પ્રમાણપત્ર દૂર કરવામાં આવે તેવી માંગણી સાથે રાધનપુર સાતલપુર વિસ્તારના આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી.