પાટણ નાગરીક સહકારી બેંકના ૧પ ડિરેકટરોની ચૂંટણી આગામી ૧૧મી જુલાઈના રોજ યોજાનાર છે ત્યારે આજરોજ બપોરે ત્રણ કલાક સુધી ઉમેદવારી પત્રો ભરીને આપવાની છેલ્લી તારીખ હોઈ બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારો દ્વારા લઈ જવામાં આવેલા કુલ ૪૮ ઉમેદવારી ફોર્મમાંથી ૩ર ફોર્મ ભરાઈને પરત આવ્યા હોવાનું ચૂંટણી અધિકારી એમ.કે. પટેલે ટેલિફોનીક જણાવ્યું હતું.
તો હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે પાટણ નાગરીક સહકારી બેંકની ચૂંટણી સ્થગિત કરી તાત્કાલિક નોટીસ બજાવવા આજરોજ પટેલ જયેશ ચુનીલાલે કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી. અને આ ચૂંટણી યોજાય તો પાટણ શહેરના નાગરીકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય તેવી ભીતિ સેવી ચૂંટણીને સ્થગિત કરવા માંગ કરી હતી.
તો તાજેતરમાં ગુજરાત સરકાર દવારા કોરોના મહામારીના કારણે ગાંધીનગર કોપોરેશનની ચૂંટણી સ્થગિત કરેલી હોઈ પાટણ નાગરીક સહકારી બેંકની ચૂંટણી સ્થગિત કેમ ન કરી શકાય? તેવો પ્રશ્નાર્થ કરી કંઈક આ રીતે જયેશ પટેલે નાગરીક બેંકની ચૂંટણી સ્થગિત કરવા પોતાના પ્રતિભાવો વ્યકત કર્યો હતા.