આદ્યશિક્ત માં દશામાનો આજે છેલ્લે દિવસ હોઈ આજે શ્રદ્ઘાળુ બહેનો દ્વારા જે નવદંપતીઆેને સંતાન ના હોય તેવા દંપતીઆે બાધા-માનતા માની હોય તે લોકોની બાધા પૂરી થઈ હોય તે લોકોએ આજે સિધ્ધનાથ મહાદેવ દશામાના મંદિર ખાતે માનતા પૂરી કરવા માટે બહેનો દ્વારા ઘી પુરવાની માનતા પુરી કરી હતી.
તો માતાજીના પુજારી આતુ મહારાજે જણાવ્યું હતું કે રાત્રે ૧૦:૩૦ કલાકે માતાજીની મહાપુજા કરવાની છે અને રાત્રે બાર વાગે ૧૦૮ દિવાની મહાઆરતી થશે તો સૌ ભક્તોને દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તો દશામાની મૂર્તિને પધરાવવાનો સમય રાત્રે ૧રથી ૩ અને સવારે પાંચથી સાત વાગ્યા સુધી પાણીમાં પધરાવવા વિનંતી કરી હતી.