આમ આદમી પાર્ટી ના કેન્દ્રીય અધ્યક્ષા અરવિંદ કેજરીવાલની વિચારસરણીથી પ્રેરિત થઈ પાટણ જિલ્લાના યુવાનો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.
પરંતુ પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીમાં જૂથવાદ ચાલી રહયા હોવાના પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ નિરવ શુકલાએ આક્ષોપો કરી જિલ્લાના મહત્વના હોદેદારોના જૂથવાદને લઈ અવગણના કરાતી હોવાથી તેઓ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદેદારોથી નારાજ થઈ આરપીડી દવારા જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામુ આપી દીધું છે.
અને આજરોજ તેઓ વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આમ, પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના જૂથવાદ અને અવગણનાને લઈ જિલ્લાના કેટલાય યુવાન કાર્યકર્તાઓ પાર્ટીથી નારાજ થઈ તેઓ નિષ્ક્રિય પણ થઈ ગયા હોવાનું જાણવા મળી રહયું છે.