આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિત વિજય સુવાળાએ જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત પાટણની આજરોજ મુલાકાત લીધી હતી ત્યારે તેઓની મુલાકાત દરમ્યાન વિશ્વ વિરાસત રાણીની વાવ અને વીર મેઘ માયાના સ્મારકના દર્શન કરી તેઓએ પાટણમાં ધરબાયેલા ઈતિહાસના ભારોભાર વખાણ કર્યા હતા.
આગામી ર૦રરની વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીનું માળખુ મજબૂત કરી લોકો વચ્ચે જઈ તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ આમ આદમી પાર્ટીના આગેવાનો અને હોદેદારોને સૂચના આપવામાં આવી હતી. તો વીર મેઘમાયાના મંદિર ખાતે ઈસુદાન ગઢવી સહિત વિજય સુવાળાનું ફૂલહાર અને વિશ્વ વિરાસત રાણીની વાવની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું.