પાટણ શહેરના શિવાલયોમાં શ્રાવણ માસને અનુલક્ષાીને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત આરતીઓનું આયોજન કરવામાં આવતું હોય છે
ત્યારે પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર પાસે આવેલ બગેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સેવાકીય સંસ્થાઓના સભ્યોના હસ્તે મહાઆરતીનું આયોજન મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારે પાટણ શહેરની વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટીસંખ્યામાં હાજર રહી ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં મહાઆરતીનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. તો બગેશ્વર મહાદેવને ગુલાબની પંખુડીઓની સુંદર આંગી કરવામાં આવતાં આકષણનું કેન્દ્ર બની હતી.