હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા અનુસ્નાતક વિધાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેશનની માંગણીને લઈને પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સીટી સમક્ષા કરાયેલી ઉગ્ર રજૂઆતને પગલે યુનિવર્સીટી ઈ.સી. બેઠકમાં વિધાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવાનો
નિર્ણય લેવાયો હોઈ જેને પાટણ એનએસયુઆઈ દ્વારા આવકારી મંગળવારના રોજ કુલપતિનું સન્માન કરી આતશબાજીનો કાર્યક્રમ યોજી ખુશી વ્યકત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોર સહિતના કાર્યકરો અને વિધાર્થીઓ જોડાયા હતા.