પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે આવેલા શ્રુત મંદિરની ગૌશાળામાં તબેલાનું બાંધકામ પડી રહેલા વરસાદને પગલે ધરાશાયી થતાં ૩પથી વધુ ગૌમાતા અને વાછરડા તેની નીચે દટાઈ જવા પામ્યા હતા.
જેને લઈ સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓની મદદથી બચાવ કામગીરી ચાલુ કરી હતી અને નીચે દટાઈ ગયેલા ગાયો સહિત વાછરડાઓને બહાર કાઢી આબાદ બચાવી લેવામાં આવ્યા હતા.
ત્યારે પંદરથી વધુ ગાયો અને વાછરડાઓને ગંભીર ઈજાઓ થતાં સંચાલકો દ્વારા તત્કાળ તેઓની સારવાર શરુ કરવામાં આવી હતી.