પાટણ નાગરીક સહકારી બેંકના ૧પ ડિરેકટરોની ચૂંટણી આગામી ૧૧મી જુલાઈના રોજ યોજાનાર છે ત્યારે કુલ ૪૮ ઉમેદવારી ફોર્મમાંથી ૩ર ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા. ત્યારે ફોર્મ ચકાસણી દરમ્યાન બે ફોર્મ રીજેકટ થતાં કુલ ૩૦ ઉમેદવારી પત્રો બાકી રહયા હતા

તો રાણા અશોક ઈશ્વરભાઈની સીટ બિનહરીફ થતાં કુલ ર૯ ઉમેદ વારી પત્રો માન્ય રહયા હતા. ત્યારે તા.૧ અને ર ના રોજ ઉમેદ વારી પત્રો પાછા ખેંચવાના હોવાથી કુલ છ ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા.

જેથી હવે ર૩ ઉમેદવારી પાટણ નાગરીક સહકારી બેંકની ચૂંટણીના મેદાનમાં જોવા મળ્યા હતા. તો નાગરીક બેંકની ચૂંટણીમાં દરેક સભાસદોને ૧પ વોટ આપવાના ફરજીયાત હોય છે ત્યારે એક સીટ બિનહરીફ જાહેર થતાં હવે સભાસદોને માત્ર ૧૪ વોટ આપવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024