પાટણ શહેરમાં નવરાત્રિ પર્વ જામ્યો છે ત્યારે દરવર્ષની માફક ચાલુ સાલે પણ સિદ્ઘપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે હિંગળાચાચર ચોકમાં ચાલતી નવરાત્રી પર્વમાં આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
પાટણ શહેરમાં કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે રાજ્ય સરકારના આદેશ અનુસાર માત્ર શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે.
જેને લઈને તમામ મહોલ્લા પોળો અને સોસાયટીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.