પાટણ શહેરમાં છાશવારે ભૂગર્ભના ગંદા પાણી નીચાણવાળા વિસ્તારોમાં રેલાતા હોવાનું જોવા મળતું હોય છે તેમાં પણ ખાસ કરીને કર્મભૂમિ સોસાયટી આગળ છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેરમાર્ગો પર રેલાતાં સ્થાનિક રહીશો સહિત વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે
ત્યારે પાટણ શહેરના જાહેરમાર્ગો પર રેલાતાં ભૂગર્ભના ગંદા પાણીનો મહદઅંશે નિકાલ લાવવા પાલિકા પ્રમુખ દ્વારા ગાંધીનગર બહુચર પમ્પીંગ સ્ટેશન ખાતે નવીન વીજ ડી.પી. નાંખવા દરખાસ્ત કરવામાં આવી છે. જે મંજૂર થઈ ગયા બાદ બહુચર પમ્પીંગ સ્ટેશન ખાતે નવીન ડી.પી. લાગવાથી નવીન મોટર નાંખ્યા બાદ પાટણ શહેરના ભૂગર્ભનું તમામ પાણી જલ્દીથી ખેંચાશે અને નીચાણવાળા વિસ્તારોમાં છાશવારે ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ આવવાની પાલિકા પ્રમુખે આશા વ્યકત કરી હતી.
અને નવીન વીજ ડી.પી. નંખાયા બાદ જાહેરમાર્ગો પર ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ આવવાથી શહેરીજનોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવવાની પણ આશા વ્યકત કરી હતી.