પાટણ: રાધનપુરની મામલતદાર કચેરીમાં છત ધરાશાયી થતા ત્રણ તલાટીઓ ઘાયલ

પોસ્ટ કેવી લાગી?

રાધનપુર ખાતે આવેલ કસ્બા તલાટી કમ મંત્રીની ઓફિસમાં છત ધરાશાયી થતા ત્રણ લોકો ઘાયલ થયા. જેમાંથી એક ને વધારે ઇજા, બે ને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

જુની બિલ્ડીંગની અંદર કચેરીની તમામ ઓફિસો આવેલી હોઈ વારંવાર છત પડવાની ઘટનાઓ ઘટે છે આજરોજ એવી જ ઘટના ઘટતા મોટી જાનહાનિ ટળી છે હાલમાં આ ત્રણેય કર્મચારીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલુ છે. પરંતુ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ થાય તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે.

જેમાં આ મામલતદાર કચેરીમાં કસ્બા તલાટીઓને ફાળવવામાં આવેલા જુના જર્જરિત મકાનમાં તલાટીઓ પોતાનું સરકારી કામ કરી રહ્યા હતા જેમાં ઉપરથી મકાનની છત નીચે પટકાતા ૩ તલાટીઓ ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. કચેરીનું ધડાકાભેર મકાનનો ઉપરનું સત્ર ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખી કચેરીમાં સન્નાટો છવાયો હતો. કચેરીની આજુબાજુ ના આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ અકસ્માત ની ઘટના બનતા સરકારી કચેરી ના તંત્રને જાણ થતા તંત્રને માથે આભ તૂટી પડ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures