Kargil War
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 67મી વખત મન કી બાત કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધી રહ્યા છે.
- તેમણે કારગિલ યુદ્ધ (Kargil War) ના 21 વર્ષ પુરા થવા અંગે આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી.
- આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, આજે કારગિલ વિજય દિવસ છે.
- પાકિસ્તાને ભારત સાથે દગો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જીત ભારતના સૈનિકોના જુસ્સાની થઈ.
- પીએમ મોદીએ કહ્યું કે, કારગિલ યુદ્ધ (Kargil War) ના જે પરિસ્થિતિમાં થયું તે ભારત ક્યારેય ભૂલી નહીં શકે.
- પાકિસ્તાને ભારતની ભૂમિ પર કબજો જમાવવા અને પોતાને ત્યાં ચાલી રહેલા આંતરિક કલહથી ધ્યાન ભટકાવવા માટે આવું દુઃસાહસ કર્યું હતું.
- કારગિલ દિવસ પર પીએમ મોદીએ સૌથી પહેલા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.
- પીએમ મોદીએ કહ્યું કે, દુષ્ટનો સ્વભાવ જ હોય છે કે, કોઈ કારણ વગર દુશ્મની કરવી.
- હિત કરનારનું પણ નુકસાન વિચારવું.
- મોદીએ કહ્યું પાકિસ્તાને પીઠ પાછળ હુમલો કર્યો હતો.
Do tune in tomorrow, 26th July, at 11 AM. #MannKiBaat. pic.twitter.com/Px52Xrm2bY
— Narendra Modi (@narendramodi) July 25, 2020
- વડાપ્રધાને કહ્યું કે,એ દિવસ સૌથી અનમોલ ક્ષણોમાંથી એક છે.
- હું તમામ દેશવાસીઓ તરફથી એ વીર માતાઓને નમન કરું છું, જેમણે આવા વીરનો જન્મ આપ્યો છે.
- અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મન કી બાત કાર્યક્રમમાં કારગિલ યૌદ્ધાઓ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું.
- વડાપ્રધાને કારગિલના શૂરવીરોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમની વીરતાની કહાણીઓ અનેક પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.
- મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા લાલ કિલ્લાથી આપવામાં આવેલા સંદેશાને યાદ કર્યો.
- પીએમ મોદીએ કહ્યું કે, અટલજીએ કહ્યું હતું કે કારગિલ યુદ્ધે આપણને એક મંત્ર આપ્યો છે,
- આ મંત્ર હતો કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલા આપણે એ વિચારવું જોઈએ કે શું આપણું આ પગલું તે સૈનિકના સન્માને અનુરૂપ છે
- જેણે દુર્ગમ પર્વતોમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.