રાધનપુરમાં સફાઈ કામદારોએ નગરપાલિકા ખાતે નવીન કરેલ ભરતીના વિરોધમાં હોબાળો કર્યો હતો. રાધનપુર નગરપાલિકાએ ૧૬ જેટલા અન્ય સમાજના સફાઈ કર્મી ઓની ભરતી કરતાં વાલ્મીકી સમાજના કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
વર્ષોથી સફાઈનું કામ કરતા હોવા છતાં પણ નગરપાલિકાએ અન્ય સમાજના લોકોની ભરતી કરી હતી. તો ભરતી કરેલ અન્ય સમાજના લોકોને સફાઈનું કામ કરાવવામાં આવતું ન હોવાનું પણ સફાઈ કર્મીઓએ આક્ષોપો કર્યાં હતા
અને રાધનપુર નગરપાલિકા સફાઈ કર્મીઓ સાથે ભેદભાવભરી નીતિ દાખવી રહી હોવાના પણ આક્ષોપો કરી વાલ્મીકી સમાજના પુરુષ સહિત મહિલા કર્મચારીઓએ ચીફ ઓફિસરના છાજીયા લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.