- ગુલાબના ફૂલની સુગંધ લેવાના અનેક ફાયદા છે, રિસર્ચમાં બહાર આવી મોટી વાત..પ્રેમ વ્યક્ત કરવા માટે ગુલાબ એકબીજાને અવારનવાર આપવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ગુલાબના ફૂલની સુગંધ તમારી ઉંઘ અને મન માટે વરદાન બની શકે છે. તાજેતરમાં, ગુલાબ પર હાથ ધરાયેલા સંશોધનથી બહાર આવ્યું છે કે ગુલાબની સુગંધ ઉંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.
- ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ પર પ્રકાશિત અહેવાલ મુજબ, ગુલાબની સુગંધથી થતા ફાયદા વિશે માહિતી મેળવવા માટે ભૂતકાળમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો હતો.ગુલાબની સુગંધના ફાયદા શોધવા માટે, વિદ્યાર્થીઓને અધ્યયનમાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના એક જૂથને ગુલાબની સુગંધ વચ્ચે રાખવામાં આવ્યુ હતી, જ્યારે બીજા જૂથને ગુલાબ સુગંધ ન હોય તેવા ઠેકાણે રાખવામાં આવ્યું હતું. . સંશોધનકારોએ કહ્યું, ” કે ગુલાબની સુગંધની અસર રોજિંદા જીવનમાં ખૂબ જ વ્યાપક થાય છે અને તેના કેટલાય ફાયદા મળી શકે છે’
- સંશોધનકારોએ જણાવ્યું હતું કે પરીક્ષા જૂથના સહભાગીઓએ અંગ્રેજી શબ્દભંડોળ શીખતી વખતે ઘરે તેમના ડેસ્ક પર ગુલાબ અથવા સુગંધિત અગરબત્તી મૂકવાનું કહ્યું હતું. વિદ્યાર્થીઓનો બીજો જૂથ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે. જર્મની સ્થિત ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધન વિભાગના વડા જુર્ગન કોર્નમીઅરે જણાવ્યું હતું કે, “જ્યારે સુતા સમયે અને અભ્યાસ દરમિયાન નજીકમાં ગુલાબ અથવા ધૂપ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે વિદ્યાર્થીઓએ 30 ટકા સફળતા વધુ પ્રાપ્ત પ્રાપ્ત કરી હતી.” સંશોધનકારોને જાણવા મળ્યું કે ગુલાબની સુગંધથી ઉંઘ સારી આવે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News