સિદ્ઘપુર નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી રણાવાડા ગામ ની બ્રહ્મ સમાજની ર૦ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર નર્સિંગ કોલેજની હોસ્ટેલના રુમ નંબર ૧૦૧ માં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
બનાવની મળતી વિગત મુજબ કાંકરેજ તાલુકાના રણાવાડા ગામ ની નેહા રાવલ કે જેણી સિધ્ધપુર નર્સિંગ કોલેજ માં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી તેણીએ શુકવારની સવારે નર્સિંગ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર ૧૦૧ મા પંખા સાથે દુપઢ્ઢો બાંધીને ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી.
આ પણ વાંચો – જાણો મેસોથેલિઓમા વકીલ શું છે? #MesotheliomaLawyer What Is a Mesothelioma Lawyer?
સિદ્ઘપુર નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી બ્રહ્મ સમાજની ર૦ વર્ષની યુવતીએ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં કરેલી આત્મહત્યાના બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી આત્મહત્યાનું કારણ જાણવા ચક્રોગતિમાન બનાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.