Surat
સુરત (Surat) પાંડેસરામાં આજે સવારે યુવાને ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. નાના આશાપુરી સોસાયટીમાં રહેતા 37 વર્ષીય ભાગીભાઈ ગણપતિભાઈ ડાકુવા આજે સવારે પંખા સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આજુબાજુના રહેતા વ્યક્તિઓની નજર બારીમાંથી તેમના પર પડતા આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડી બાદમાં કાર્યવાહી કરી મૃતદેહને નવી સિવિલ ખાતે ખસેડાયો હતો.
આ પણ જુઓ : ભારતમાં ઓક્સફર્ડની કોરોની રસીના 5 કરોડ ડૉઝ તૈયાર
તેમની પત્ની સાથે અણબનાવ બનતા પત્નીથી અલગ એકલા રહેતા હતા જેથી એકલવાયા જીવનથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.