Loan
- જો તમે હોમ લોન (Home Loan) અને ઓટો લોન (Loan) લેવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે હવે યૂનિયન બેંક (Union Bank) એક ધમાકેદાર સમાચાર લઇને આવ્યા છે.
- તમને જણાવાનું કે, સરકારી બેંકએ પોતાના વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે.
- તો આગામી સોમવારથી આ ઓછા વ્યાજમાં લોન લેવાનો ફાયદો તમે ઉઠાવી શકો છો.
- સાર્વજનિક ક્ષેત્રની યૂનિયન બેંક ઓફ ઇન્ડીયાએ શુક્રવારે વિભિન્ન સમયગાળા માટે સીમાંત ખર્ચ નાણાં ધીરવાનો દર (MCLR) માં 0.20 ટકાના ઘટાડાની જાહેરાત કરી.
- તથા આ નવા દર 11 જુલાઇથી લાગૂ થશે.
- Terrorist :અરુણાચલ પ્રદેશમાં 6 આતંકીનો ઠાર, કાશ્મીરમાં આ હથિયારો કરાયા જપ્ત
- Family Court માં આવેલા છૂટાછેડાની અરજીના આ ચોંકાવનારા આંકડા…
- બેંકએ એક વિજ્ઞપ્તિમાં કહ્યું કે સંશોધિત એક વર્ષીય એમસીએલઆર 7.60 ટકાના દરના બદલે 7.40 ટકા હશે.
- ત્રણ મહિના અને છ મહિનાના એમસીએલઆરને ઘટાડીને ક્રમશ: 7.10 ટકા અને 7.25 ટકા કરી દેવામાં આવ્યો છે.
- તો ગત વર્ષે જુલાઇથી બેંક દ્વારા સતત 13મી વાર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
- આ સિવાય દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ (SBI) એ શુક્રવારે નાની અવધિ માટે એમસીએલઆરમાં 0.05 થી 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો.
- સાર્વજનિક ક્ષેત્રના એક અન્ય બેંક ઇન્ડીયન ઓવરસીઝ બેંક (આઇઓબી)એ તમામ અવધિ માટે એમસીએલઆરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.
- જો કે, આ અઠવાડિયાની શરૂઆતમાં કેનરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ ઘટાડો કર્યો હતો.