Government
સરકારે (Government) હવે ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ પર લગામ લગાવવાની તૈયારી કરી છે. આ માટે સરકારે નિર્દેશ પણ આપ્યા છે. આ નિર્દેશ હેઠળ એવા સરકારી કર્મચારીઓની ઓળખ કરવામાં આવશે જે ભ્રષ્ટ અને અયોગ્ય હશે. તથા આવા કર્મચારીઓને સમય પહેલા જ નિવૃત્ત કરવા પર ભાર મૂકવામાં પણ આવશે. જો કે, સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ સરકારી કર્મચારીઓમાં ફફળાટ મચી ગયો છે.
એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર (Government) સરકારી કર્મચારીઓના રિકોર્ડની તપાસ કરશે. આ માટે સરકારે ગાઇડલાઇન પણ બહાર પાડી છે. તે ગાઇડલાઇન અંતગર્ત અયોગ્યતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવશે.
સરકારે (Government) જે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. તે અંતગર્ત કેન્દ્ર સરકારની સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અથવા 50-55 વર્ષની ઉંમરના કર્મચારીઓની સેવા રિકોર્ડની તપાસ કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે આવા કર્મચારીઓની ક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવે. તેમજ કેન્દ્ર સરકારે કહ્યું કે સર્વિસ રિકોર્ડ તપાસ બાદ નક્કિ કરવામાં આવશે કે તેઓ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. જો તેઓ યોગ્ય રીતે કામ નહીં કરી રહ્યા હોય તો તેમને લોકહિતમાં સમય પહેલા જ તેમને નિવૃત કરવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.