- સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે ઉદ્યોગપતિ વિજય માલ્યાની અરજી પર સુનાવણી કરશે. માલ્યાએ ભારતમાં તેની સંપત્તિ જપ્ત કરવાના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે.
- આશરે છ મહિના અગાઉ પોતાની તથા પોતાના સંબંધિઓની માલિકીની તમામ સંપત્તિ જપ્ત થતી અટકાવવાની માંગ કરી વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. આ અગાઉ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, જે બાદમાં નકારી દેવામાં આવી હતી.પોતાની અપીલમાં માલ્યાએ જણવ્યું હતું કે તે ફક્ત એવી અનિયમિતતાઓને એટેચમેન્ટ ઈચ્છતા હતા, જે કિંગફિશર એરલાયન્સ સાથે સંકડાયેલી છે.
- પીએમએલએ કોર્ટે જાન્યુઆરી,2019માં માલ્યાને આર્થિક ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. માલ્યા પર બેન્કના રૂપિયા 9,000 કરોડ લઈને વિદેશ ભાગી જવાનો આરોપ છે. તે માર્ચ 2016માં જ લંડન જતો રહ્યો હતો.
- હાથ જોડીને કહ્યું- આપી દઈશ તમામ બાકી નિકળતી રકમ, તાજેતરમાં જ માલ્યાએ કહ્યું હતું કે તે ભારતીય બેન્કોની બાકી નિકળતી તમામ મૂળ રકમ પરત કરવા તૈયાર છે. પ્રત્યર્પણ આદેશ સામે લંડન હાઈકોર્ટમાં અપીલ પર ત્રણ દિવસની ચર્ચા બાદ માલ્યાએ આ વાત કરી હતી. હવે માલ્યા અંગે ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. લંડન હાઈકોર્ટ બહાર મીડિયા સમક્ષ વાતચીતમાં માલ્યાએ કહ્યું હતું કે તે ભારતીય બેન્કોને હાથ જોડીને કહે છે કે તે તેમની તમામ મૂળ રકમ પરત કરવા તૈયાર છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News