ટીવી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન

પોસ્ટ કેવી લાગી?

Divya Bhatnagar

ટીવી સીરીયલ યે રિસ્તા ક્યા કહલાતા હૈની અભિનેત્રી દિવ્યા ભટનાગર (Divya Bhatnagar) નું આજે મુંબઇમાં કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થયું છે. તે છેલ્લા ૧૧ દિવસથી મુંબઇની હોસ્પિટલમાં ન્યુમોનિયા, કોરોના અને હાઇપરટેન્શનની સારવાર હેઠળ હતી. દિવ્યાનું ઓક્સિજન લેવલ બહુ નીચું ગયું હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

દિવ્યાને 26 નવેમ્બરના રોજ મુંબઇની એસ.આર. વી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.જ્યાં તેની તબિયત વધારે બગડી હતી. તેથી તેને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સેવન હિલ્સમાં શિફ્ટ કરવામાં આવી હતી.

દિવ્યાના ભાઇ દેવાશીષ ભટનાગરે દિવ્યાના અવસાનની પુષ્ટિ કરી હતી. દેવાશીષે જણાવ્યું હતું કે, 7 ડિસેમ્બરના સવારે ત્રણ વાગ્યે દિવ્યાને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો અને તેણ અંતિમ શ્વાસ લીધા હતા. 

આ પણ જુઓ : સુરતમાં 10 વર્ષની બાળકીની હત્યા કરીને લાશ ઝાડીમાં ફેંકી

દિવ્યાનું થોડા મહિનાઓથી પોતાની પર્સનલ લાઇફના કારણે સ્ટ્રેસમાં હતી. તેનું લગ્નજીવન વ્યવસ્થિત નહોતું ચાલી રહ્યું. દેવાશીષના અનુસાર દિવ્યાનો પતિ ગગન લાયક વ્યક્તિ નથી અને તેના જ કારણે દિવ્યાની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. થોડા દિવસો પહેલા પણ દેવાશીષે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગગન અને તેનો પરિવાર મારી બહેનને ટોર્ચર કરી રહ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures