- અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરના 12 નંબરના પ્લેટફોર્મ પર એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે.
- ગોમતીપુરમાં રહેતા રામશકલ કહાર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમને ચાર બાળકો છે.
- તેમાંથી પ્રદીપ નામના પુત્રને થોડા દિવસ પહેલા કોઈએ માર માર્યો હોવાની જાણ થતા જ તેઓ પ્રદીપને સારવાર માટે લઈ ગયા હતા.
- ત્યારબાદ સારવાર કરી તેને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં ઘરે પાછો લાવ્યા હતા.
- તેને કોણે માર્યો કેમ માર્યો એ બાબતે પૂછપરછ કરતા તેને કહ્યું કે સરસપુરમાં રહેતો ધર્મેશ ઉર્ફે ટૂંડો પટેલ નામના યુવકે જાંઘના ભાગે અને શરીરના અન્ય ભાગે હથિયારથી ઘા માર્યા હતા.
- આટલું કહીને તે સુઈ ગયો હતો.પરંતુ અડધી રાત્રે રામશકલ ભાઈએ જોયું તો તેમનો પુત્ર મૃત હાલતમાં હતો.
- ત્યારબાદ તેની અંતિમવિધિ કર્યા પછી શહેર કોટડા પોલીસને તેમને જાણ કરી હતી.
- કાલુપુર રેલવે સ્ટેશન પર 12 નંબરના પ્લેટફોર્મ પરઆ ઘટના બની હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News